Home News સરકાર ઇચ્છે તો અમારો આંકડો લઇ શકે છે અને તે પરિવારોની મદદ...

સરકાર ઇચ્છે તો અમારો આંકડો લઇ શકે છે અને તે પરિવારોની મદદ કરી શકે છેઃ રાહુલ ગાંધી

Face of Nation 03-12-2021:  કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે કેન્દ્રની મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. ખેડૂતો આંદોલન દરમિયાન મૃત્યુ પામેલા ખેડૂતોના પરિવારજનોને વળતર આપવાની માંગ કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે, અમે તે લોકોની યાદી આપીશું, જે આંદોલન દરમિયાન મૃત્યુ પામ્યા. સરકાર તેને વળતર જરૂર આપે.

રાહુલ ગાંધીએ કેટલા ખેડૂતોના આંદોલનમાં મોત થયા છે, સરકાર પાસે ડેટા નથી. સરકાર પાસે નથી તે અમારી પાસે છે, અમે આપી દઇએ છીએ. રાહુલ ગાંધીએ કહ્યું કે, સંસદમાં સવાલ પૂછવામાં આવ્યો હતો કે શું સરકાર ખેડૂતોને વળતર આપશે? તો કૃષિ મંત્રાલયે કહ્યું કે, સરકારની પાસે આનો કોઈ રેકૉર્ડ નથી એટલા માટે એ સવાલ જ નથી બનતો. અમે આના પર કામ કર્યું. 503 લોકોના નામ તો અમારી પાસ છે, જેમને પંજાબ સરકારને વળતર અને નોકરી આપી છે. જ્યારે કેન્દ્ર સરકાર કહે છે કે, તેમની પાસે કોઈ આંકડો નથી. સરકાર ઇચ્છે તો અમારો આંકડો લઇ શકે છે અને તે પરિવારોની મદદ કરી શકે છે.

રાહુલ ગાંધીએ કહ્યું કે, સરકાર માટે વળતર રકમ કોઈ મોટી રકમ નથી. આ કોરોનાની જેવો જ કેસ છે જેમાં કેટલાક લોકોએ જીવ ગુમાવ્યા. સરકારે ખેડૂતોના પરિવારજનોને વળતર આપવું જોઈએ. સરકારે લોકોની આજીવિકાનું સાધન છીનવ્યું છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)