Home News રેલ મંત્રાલય દ્વારા લેવામાં આવ્યો આ મોટો નિર્ણય, જનરલ કોચમાં મુસાફરી કરનારા...

રેલ મંત્રાલય દ્વારા લેવામાં આવ્યો આ મોટો નિર્ણય, જનરલ કોચમાં મુસાફરી કરનારા ખાસ વાંચો

Face Of Nation, 16-11-2021: ભારતીય રેલ્વે દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમા હવે ટ્રેનના જનરલ કોચમાં પણ એસી લેગાલા જોવા મળશે. રેલ મંત્રાલય દ્વારા મુસાફરોની યાત્રાને સારી કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમા હવે જનરલ કોચમાં પણ એસી લાગેલા જોવા મળશે.

નવી ટેક્નોલોજી પ્રમાણે ટ્રેનો હવે 180 કિલોમીટર પ્રતિ કાલકની સ્પીડે દોડી શકશે. સાથેજ બીજી એક ખાસ વાત તો એ છે કે આ સુવિધા સેકન્ડ ક્લાસ જનરલ કોચમાં પણ જોવા મળશે. રેલમંત્રી અશ્વિની વૈષ્ણવ જ્યારથી તેમના પદ પર આવ્યા છે ત્યારથી અશ્વિની વૈષ્ણવ મુસાફરો માટે સુવિધાઓ વધારી રહ્યા છે.

લોકો ટ્રેનમાં સારી રીતે મુસાફરી કરે તેજ રેલમંત્રીનું લક્ષ્ય છે. જેથી આજ કારણોસર બધાજ ટ્રેનના કોચ એસી વાળા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રેલ મંત્રાલયના આપેલા સૂત્રો પ્રમાણે હવે ટ્રેનમાં સેકન્ડ કલાસ કોચમાં 100 મુસાફસો બેસી શકશે. નવા કોચ બનાવામાં 2,24 કરોડ રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો છે.

નવા સેકન્ડ ક્લાસ કોચમાં પણ પહેલા કરતા વધારે યાત્રીઓ મુસાફરી કરી શકશે. નવા કોચ 130 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ સાથે દોડશે. જ્યારે જૂના નોન એસી કોચ 110 કિલોંમીટર પ્રતિ કલાકની સ્પીડથી દોડતા હતા.

ઉલ્લેખનીય છે કે નવા કોચમાં મુસાફરી પહેલા કરતા પણ વધારે સસ્તી રહેશે તેવી માહિતી રેલ મંત્રાલયના સૂત્રો દ્વારા સામે આવી છે. આ કોચમાં દરવાજાઓ પણ સેંસર વાળા હશે જે ઓટોમેટિક ખુલશે અનં બંધ થશે. તે સિવાય લગેજ રેક, મીનરલ વોટર, બાયો ટોયલેટ, અને મોબાઈલ ચાર્જિંગ પોઈમન્ટ જેવી સુવિધાઓ પણ આપવામાં આવશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)