Home News જમ્મુ-કાશ્મીરના કુલગામમાં 24 કલાકથી ચાલતા એકાઉન્ટરમાં સુરક્ષા દળો દ્વારા 3 આતંકીઓને ઠાર...

જમ્મુ-કાશ્મીરના કુલગામમાં 24 કલાકથી ચાલતા એકાઉન્ટરમાં સુરક્ષા દળો દ્વારા 3 આતંકીઓને ઠાર મરાયા

Face Of Nation, 12-11-2021: જમ્મુ-કાશ્મીરના કુલગામમાં બે જ્યારે શ્રીનગરમાં એક આતંકી માર્યો ગયો છે. કુલગામમાં એન્કાઉન્ટરનો આજે બીજો દિવસ છે.

જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા 24 કલાકમાં એન્કાઉન્ટર દરમિયાન સુરક્ષા દળોએ ત્રણ આતંકીઓને ઠાર કર્યા છે. કુલગામમાં બે આતંકીઓ માર્યા ગયા છે. જ્યારે શ્રીનગરમાં એક આતંકી માર્યો ગયો છે. કુલગામમાં એન્કાઉન્ટરનો આજે બીજો દિવસ છે.

કુલગામમાં માર્યા ગયેલા આતંકવાદીઓની ઓળખ હિઝબુલ કમાન્ડર શિરાઝ મૌલવી અને યાવર ભટ્ટ તરીકે થઈ છે. શિરાઝ યુવાનોને ફસાવીને આતંકવાદી બનાવવાના કામમાં સામેલ હતો. ઉપરાંત, તે નિર્દોષ લોકોની હત્યામાં પણ સામેલ હતો.તો બીજી શ્રીનગરમાં માર્યા ગયેલા આતંકવાદીની ઓળખ પુલવામાના અમીર રિયાઝ તરીકે થઈ છે.

માર્યો ગયેલો આમિર રિયાઝ આતંકવાદી સંગઠન ગજવાતુલ હિંદ સાથે સંકળાયેલો હતો. જમ્મુ-કાશ્મીર પોલીસના જણાવ્યા અનુસાર, આતંકવાદી અમીર રિયાઝને ફિદાયીન હુમલાની જવાબદારી સોંપવામાં આવી હતી.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો) 

શ્રીનગરના ઇદગાહ વિસ્તારમાં બુધવારે અલી મસ્જિદ પાસે આતંકીઓએ ગ્રેનેડ હુમલો કર્યો હતો જેમાં એક પોલીસ જવાન સહિત બે લોગો ઇજાગ્રસ્ત થયા હતા. આતંકીઓએ સીઆરપીએફના 161 BN પર ગ્રેનેડ ફેંક્યો હતો. આતંકીઓ દ્ધારા ફેંકવામાં આવેલા ગ્રેનેડ હુમલામાં અઝાઝ અહમદ ભટ્ટને ઇજા પહોંચી હતી. 41 વર્ષીય અઝાઝ ગુલાબ નબી ભટના દીકરા છે. ઇજાગ્રસ્ત પોલીસ જવાનનું નામ સઝાદ અહમદ ભટ છે જે ઇદગાહના નરવરા વિસ્તારના રહેવાસી છે.