Home Religion શામળાજી મંદિરનો મુખ્ય દરવાજાને સોનાથી જડિત બનાવાયો, આ પહેલાં ચાંદીથી મઢેલા હતા...

શામળાજી મંદિરનો મુખ્ય દરવાજાને સોનાથી જડિત બનાવાયો, આ પહેલાં ચાંદીથી મઢેલા હતા દરવાજા!

Face Of Nation 14-05-2022 : અરવલ્લી જિલ્લામાં આવેલ વિખ્યાત શામળાજી મંદિર કરોડો લોકોના આસ્થાના અખૂટ સમુદ્ર સમાન છે. અહીં દરરોજ મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવે છે. જે મંદિરના ગર્ભગૃહના દરવાજાને સોનાના પતરા વડે મઢવામાં આવ્યા છે. અમદાવાદના એક દાતાએ આપેલી ભેટમાંથી આ દ્વાર સોનાથી મઢવામાં આવ્યો છે. જેથી અદભૂત શોભા ધરાવતા મંદિરની શોભાને ચાર ચાંદ લાગશે.
શામળાજી મંદિરનું મુખ્ય દ્વાર સોનાથી મઢાયું
યાત્રાધામ શામળાજી મંદિરનો મુખ્ય દ્વાર સોનાથી જડિત બનાવાયો છે. ભગવાન શામળાજીમાં અખૂટ શ્રદ્ધા ધરાવતા અમદાવાદના એક દાતા પરિવાર દ્વારા ભેટ આપવામાં આવી હતી. જેમાંથી શામળિયાના ગર્ભગૃહનો મુખ્ય દ્વાર સોનાથી મઢવામાં આવ્યું છે. અંદાજે 7 લાખ રૂપિયાની કિંમતનો સુવર્ણમઢિત દ્વાર ફિટ કરી દેવામાં આવ્યો છે. જેમાં ભગવાનના જુદા જુદા અવતારો કંડારવામાં આવ્યા છે. જેમાં વામન, કલકી, નૃસિંહ સહિત ભગવાન વિષ્ણુના 10 અવતારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તો બીજીતરફ આ પહેલા મંદિરમાં ચાંદીથી મઢેલા દરવાજા લગાવવામાં આવ્યા હતા. જેના સ્થાને હવે સોનાના દરવાજા મંદિરની શોભા વધારશે તથા થોડા સમય અગાઉ ભગવાનને હીરાજડિત સુવર્ણ મુગટ ઉપરાંત કિંમતી ડાયમંડ પણ જડવામાં આવ્યો હતો. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).