Home News ‘હું તળાવમાં કૂદવા જાઉં છું’, આટલું ચિઠ્ઠીમાં લખી પોલીસ પુત્રએ મોત વ્હાલું...

‘હું તળાવમાં કૂદવા જાઉં છું’, આટલું ચિઠ્ઠીમાં લખી પોલીસ પુત્રએ મોત વ્હાલું કર્યું

Face Of Nation, 04-08-2021: રાજ્યમાં અવારનવાર આત્મહત્યાના બનાવ સામે આવતા રહે છે ત્યારે વડોદરા શહેરના કારેલીબાગ પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીના પુત્રએ મંગળવારે ઉંડેરા ગામના તળાવમાં પડતું મુકી આપઘાત કર્યો હતો. પંરતુ તળવા વરસાદી પાણીથી છલોછલ હોવાથી મોડી સાંજ સુધી યુવાન પત્તો લાગ્યો ન હતો. જોકે, આજે બીજા દિવસે યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે. જો કે, આપઘાત કરવા નીકળેલા 23 વર્ષીય યુવાને ‘હું ઉંડેરા તળાવમાં કૂદવા જાઉં છું મારી મમ્મીને સાચવજો’ તેવો ઘરે પત્ર પણ છોડ્યો હતો.

વડોદરા પોલીસમાં ASI તરીકે ફરજ બજાવતા લક્ષ્મીનાથ પવારના પુત્ર નિરજ પવારે ઉંદેરા ગામના તળાવમાં આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઇ હતી. નિરજ પવારે આપઘાત કરવા જતા પૂર્વે “હું ઉંડેરા તળાવમાં કૂદવા જાઉં છું” તેવો પત્ર લખીને ઉંડેરા તળાવના કિનારે પહોંચ્યો હતો. ત્યારબાદ તળાવના કિનારે નિરજે ચપ્પલ ઉતારીને કુદકો લગાવ્યો હતો. ઘટના અંગે માહિતી મળતા તત્કાલ ફાયરની ટીમ તળાવ ખાતે પહોંચી હતી.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)