Home Uncategorized વિશેષ અહેવાલ : 56ની છાતી પહેલી વાર ધ્રુજી ગઈ : પંજાબે પાણી...

વિશેષ અહેવાલ : 56ની છાતી પહેલી વાર ધ્રુજી ગઈ : પંજાબે પાણી દેખાડતા મોદીના મોતિયા મરી ગયા, તે દિવસે રાતે ઊંઘ હરામ થઈ ગઈ હતી

Face of Nation Special Report 06-01-2022 : ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કદાપિ જાહેરમાં આજદિન સુધી પોતે જનતાથી કે જનતાના રોષથી ડરી ગયા હોય કે ડર અનુભવતા હોય કે જીવતા બચ્યા હોય તેવા કોઈ પણ પ્રકારના નિવેદનો આપ્યા નથી. પરંતુ પંજાબમાં તાજેતરમાં બનેલી ઘટનાએ તેમની ઊંઘ હરામ કરી નાંખી હતી અને પંજાબથી નીકળેલા નરેન્દ્ર મોદીએ એરપોર્ટ ઉપર સીએમનો આભાર વ્યક્ત કરતા પોતે જીવિત એરપોર્ટ ઉપર સુધી પહોંચ્યા તે માટે રાહતનો શ્વાસ લીધો હતો. રાજકીય સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, આ સમગ્ર ઘટના બાદ એ દિવસની રાતે નરેન્દ્ર મોદીની ઊંઘ હરામ થઇ ગઈ હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે નરેન્દ્ર મોદી ખેડૂતોના રોષથી એટલા ડરી ગયા હતા કે તેમના ફોન સતત કેન્દ્રીય નેતાઓ સાથે ચાલુ હતા. તેમના કાફલાને વિરોધીઓના પર્દશનમાંથી બહાર કાઢવા માટે સતત પંજાબ સરકારને ફોન કોલ્સ કરવામાં આવી રહ્યા હતા.
પંજાબ સરકાર ખેડૂતોના મામલે કોઈ પણ પ્રકારનો બળ પ્રયોગ કરીને કે અન્ય રીતે ખેડૂતોનો ગુસ્સો પોતે પોતાના માથે લેવા માંગતી નથી. જેથી કરીને તે દિવસે પંજાબ પોલીસે શાનપણથી કામ કરીને મોદીના કાફલાને બહાર કાઢ્યો હતો. નરેન્દ્ર મોદી પોતે 56ની છાતી વાળા બાહોશ હોવાનો એકરાર ખુદ પોતે તેમના ભાષણમાં કરી ચુક્યા છે અને આ 56ની છાતી પહેલી વાર પંજાબમાં ધ્રુજી ગઈ હતી. ગુજરાતમાં મુખ્યમંત્રી પદથી પોતાની રાજકીય કારકિર્દી શરૂ કરનાર નરેન્દ્ર મોદીને પહેલીવાર પ્રજાના ગુસ્સાનો ભોગ બનવું પડ્યું હતું. આ ગુસ્સો એટલી હદે હતો કે, તેઓએ પોતે જ એરપોર્ટ પહોંચતા જ જીવિત પહોંચ્યા હોવાનો રાહતનો શ્વાસ અનુભવ્યો હતો અને આ અંગે નિવેદન પણ આપ્યું હતું. એ સમયે મોદીનો ચહેરો જોતા પણ તેમનામાં ડર સ્પષ્ટ દેખાતો હતો. રાજકીય સૂત્રોમાં ચાલી રહેલી ચર્ચા પ્રમાણે એ દિવસે નરેન્દ્ર મોદીના ફોન સતત કેન્દ્રીય નેતાઓ સાથે ચાલુ હતા. એ દિવસની રાતે પણ નરેન્દ્ર મોદીના મગજમાં સતત આ ઘટનાના વિચારો ચાલી રહ્યા હતા જેને લઈને તેમની ઊંઘ હરામ થઇ ગઈ હતી. આ ઘટના પ્રથમવાર બની હતી કે જેણે મોદીની ઊંઘ હરામ કરી નાખી હોય.
સામાન્ય રીતે મોદીને જિદ્દી અને કડક સ્વભાવી માનવામાં આવે છે. તે જે નક્કી કરે છે તેનો અમલ અને તેનું પાલન કરાવીને જ તેઓ રહે છે. વિરોધીઓ સામે તેઓ ક્યારેય ડર દેખાડતા નથી. તેમના ચહેરા ઉપર હંમેશા એક પ્રકારનું અભિમાન રહેલું હોય છે છતાં આ અભિમાન, કડક અને જિદ્દી સ્વભાવ પંજાબે પાણી દેખાડતા ડરમાં પરિવર્તિત થઈ ગયો હતો. એ વાત સાચી પણ છે કે, મોદી ભલે એવું દેખાડતા કે પોતે બાહોશ છે પરંતુ સાથે તેઓ અંદરથી ગભરુ પણ એટલા જ છે. પંજાબમાં બનેલી ઘટનામાં તેઓને ખુદને પણ ખબર હતી કે તેઓ જે સિક્યોરિટી વચ્ચે છે તે સિક્યોરિટીનું કવચ તોડીને તેમના સુધી કોઈ સહેલાઈથી પહોંચી શકતું નથી પરંતુ છતાં એ દિવસનો પંજાબી ખેડૂતોનો ગુસ્સો પારખી ગયેલા મોદીને ડર લાગી ગયો હતો.
કોઈ પણ વ્યક્તિ જયારે નેતા બને છે ત્યારે પ્રજાનો પ્રેમ અને પ્રજાનો વિરોધ બંને સહન અને સ્વીકાર કરવાની તેનામાં તાકાત હોવી જોઈએ. નરેન્દ્ર મોદીના કાફલા નીકળતા હોય ત્યારે બંને બાજુ સહેલાઈથી અને આરામથી ગોઠવાઈ ગયેલા તેમના ટેકેદારો કે તેમના પક્ષના કાર્યકરો કે તેમની પ્રેમી જનતા જ્યારે નરેન્દ્ર મોદીના નામના નારા લગાવતા હોય અને તે તેમને સહન કરવાની હિંમત હોય તો ક્યારેક એ જ જનતા જનાર્દન પોતાના નિર્ણય કે કામને લઈને તેમના કાફલાના રોડ ઉપર ઉભા રહીને રોષ વ્યક્ત કરે તો તે સહન કરવાની પણ તેમનામાં હિંમત હોવી જરૂરી છે. મૂળ તો તેઓ લોકશાહી દેશના રાજનેતા છે, જ્યાં પ્રજા જ સર્વોપરી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).

વિશેષ અહેવાલ : 56ની છાતી પહેલી વાર ધ્રુજી ગઈ : પંજાબે પાણી દેખાડતા મોદીના મોતિયા મરી ગયા, તે દિવસે રાતે ઊંઘ હરામ થઈ ગઈ હતી