Home News નારાજગી : વરસાદ વિના મુસાફરો સામાન પલળતા મુસાફરોએ કર્યો હોબાળો : ACમાંથી...

નારાજગી : વરસાદ વિના મુસાફરો સામાન પલળતા મુસાફરોએ કર્યો હોબાળો : ACમાંથી પાણી ટપકતાં 2 કલાક સુધી બિકાનેર-યશવંતપુર ટ્રેન રોકી રાખી!

Face Of Nation 05-07-2022 : એક તરફ ટ્રેનોમાં ટિકિટના દરો વધારવામાં આવે છે તો બીજી તરફ પુરતી સગવડ આપવી પણ જરૂરી બને છે. ગરમીને કારણે પેસેન્જરે એસી ટ્રેનની ટિકિટ લીધી હોય અને તેનો સામાન વિના વરસાદે ટ્રેનમાં જ પલળી જાય તો પારાવાર રોષ અનુભવાય તે વ્યાજબી છે. ત્યારે સુરતના રેલવે સ્ટેશન પર પણ કંઇક આવું જ થયું. વિના વરસાદે મુસાફરો સામાન પલળતા મુસાફરોએ હોબાળો મચાવ્યો.
2 કલાક સુધી ટ્રેન રોકી રાખી
ટ્રેનમાં જાણે વરસાદી પાણી આવી ગય હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. પેસેન્જરની સીટ ઉપર જ એસીમાંથી પાણી સતત ટપકી રહ્યું હતું, આખા ટ્રેનના ડબ્બો પાણી પાણી થયો હતો. આવી સ્થિતિમાં ઉભુ રહેવુ પણ ન ગમે તેવામાં પેસેન્જરે સામાન તો મુકવો જ ક્યાં ? ત્યારે આવી ગંભીર સમસ્યાને લઇને પેસેન્જરોએ હોબાળો મચાવ્યો હતો.
ACમાંથી પાણી ટપકતા મુસાફરો રોષે
સુરત રેલવે સ્ટેશન પરથી બિકાનેર-યશવંતપુર ટ્રેનમાં એસી બગડી ગયું હતું, જેથી એસીમાંથી સતત પાણી વહેવાને કારણે મુસાફરોના સામાન પલળ્યા હતા.આથી રોષે ભરાયેલા મુસાફરોએ હોબાળો કરીને અન્ય ટ્રેનની માંગણી કરી. બે કલાકથી સ્ટેશન પર ટ્રેન રોકીને અન્ય ટ્રેનની માંગ કરી હતી.પે સેન્જરે ટ્રેન રોકીને હોબાળો મચાવ્યો હતો. એસીમાંથી પાણી ટપકતાં મુસાફરો રોષે ભરાયા હતા. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).