Home News પંજાબની રેલીમાં નવજ્યોત સિદ્ધુનો હુંકાર, જો એવું નહિ થાય તો રાજનીતિ છોડી...

પંજાબની રેલીમાં નવજ્યોત સિદ્ધુનો હુંકાર, જો એવું નહિ થાય તો રાજનીતિ છોડી દઈશ

Face of Nation 02-01-2022:  રવિવારે પંજાબના ફગવાડામાં કોન્ગ્રેસના ધારાસભ્ય બલવિન્દર સિંહ ધાલીવાલનાં જન સમર્થન રેલીને સંબોધતા પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ નવજ્યોત સિંહ સિદ્ધુએ જનસભાને એવો વાયદો કર્યો હતો કે,પંજાબમાં કોંગ્રેસની સરકાર આવતા જ 5 લાખ ગરીબોને નોકરી અપાવાશે. જો એવું નહિ થાય તો તે રાજનીતિ છોડી દેશે. ઉપરાંત કોંગ્રેસ નેતાએ પંજાબમાંથી ધરમૂળથી માફિયા રાજ ખતમ કરવાની વાત પણ ઉચ્ચારી હતી.

રેલી દરમિયાન સિદ્ધુએ ભાજપ પર સંધાન કરતા કહ્યું કે, જાલંધરમાં ભારતીય જનતા પાર્ટીએ પોતાનું કાર્યાલય પાંચ વર્ષ સુધી નથી ખોલ્યું કારણકે,પાર્ટી નેતાઓને ખબર હતી કે, ખેડૂતોનો વિરોધ સહન કરવો પડશે.કોંગ્રેસ અધ્ય્સ્ખે તેમના આરોપમાં એવું પણ કહ્યું કે, ડરાવી-ધમકાવીને અને EDનો ભય દર્શાવીને ભાજપ બીજા દળના નેતાઓને પોતાની સાથે સામેલ કરે છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).