Home Uncategorized ચેતી જજો!રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેર આવી શકે, આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની ચેતવણી

ચેતી જજો!રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેર આવી શકે, આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની ચેતવણી

Face Of Nation, 30-10-2021: દિવાળીના તહેવારો હવે નજીક છે ત્યારે હવે જનતાએ સતર્ક બનવાની જરૂર છે.  જો જરા પણ લાપરવાહી દાખવી તો કોરોનાની ત્રીજી લહેર નક્કી છે.  આ ચેતવણી આપી છે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે.   ગાંધીનગરના GTU કેમ્પસ ખાતે નવી શરૂ કરવામાં આવેલી પબ્લિક ટેસ્ટિંગ લેબોરેટરીના લોકાર્પણના કાર્યક્રમમાં  જ્યાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે ગુજરાતમાં હાલ 7 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા છે.  પ્રથમ ડોઝનું 91 ટકા રસીકરણ પૂર્ણ થઈ ગયું છે.  તહેવાર હવે નજીક છે  ત્યારે નાગરિકોને સમયસર બંને ડોઝ લેવા સૂચના આપી છે.

જો રસી અંગે અને તહેવારો દરમિયાન કોવિડ ગાઈડલાઈનનું ચુસ્ત પાલન ન કરાયું તો ત્રીજી લહેર કદાચ આવી પણ શકે. અંતમાં લોકોને રસી લઈને સુરક્ષિત બનવા અપીલ કરી હતી.  અન્ય દેશોમાં પણ કેસો વધ્યા છે પરંતું રસીકરણના કારણે જ ડેથ રેશિયોમાં ઘટાડો થયો છે.  (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)