Home Uncategorized ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેર! અમદાવાદમાં 2519 નવા કેસ

ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેર! અમદાવાદમાં 2519 નવા કેસ

Face of Nation 09-01-2022:  ગુજરાતમાં કોરોનાના નવા 6275 કેસ નોંધાયા છે. જેમાં ત્રીજી લહેર આવી ગઇ હોય તેવું પ્રતીત થાય છે. તેમાં આજે ગુજરાતમાં કોરોનાનો બ્લાસ્ટ થયો છે. રાજ્યમાં ઓમિક્રોન બાબતે કેસ નોંધાયા નથી. તથા કોરોનાથી એકપણ દર્દીનું મોત થયુ નથી. તે રાહત અપાવે તેવા સમાચાર છે.

સૌથી વધુ અમદાવાદમાં 2519 કેસ નોંધાયા છે. તથા સુરતમાં 1879, વડોદરામાં 398, રાજકોટમાં 254 કેસ આવ્યા છે. તેમજ ગુજરાતમાં કોરોનાના નવા 6275 કેસ નોંધાયા છે. જેમાં રાહતના સમચાર એ છે કે કોરોનાથી એક દર્દીનું મોત થયુ નથી.

ગુજરાતમાં કોરોના મહામારીએ ફરીથી માથુ ઉંચક્યુ છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 2519 કોરોના કેસ નોંધાયા છે. રાજ્યમાં કોવિડ-19થી સાજા થવાનો દર 95.59 ટકાએ પહોંચ્યો છે. તથા વડોદરામાં 398, રાજકોટમાં 254 કેસ, ગાંધીનગરમાં 153, નવસારીમાં 118, વલસાડમાં 107 કેસ, ભાવનગરમાં 109, કચ્છમાં 70, ભરૂચમાં 68 કેસ સામે આવ્યા છે.

ઉલ્લેખનિય છે કે જાન્યુઆરી મહિનાના માત્ર 7 જ દિવસમાં કોરોનાના કારણે 10 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જોકે આજે રાજ્યમાં ઓમિક્રોન બાબતે રાહતના સમાચાર છે. તેમાં આજે એકપણ કેસ નથી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).