Home News રાજ્યમાં આજે કોરોનાના નવા 25 કેસ, 7 દર્દી વેન્ટિલેટર પર

રાજ્યમાં આજે કોરોનાના નવા 25 કેસ, 7 દર્દી વેન્ટિલેટર પર

Face Of Nation, 14-08-2021: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 25 નવા કેસ સામે આવ્યા છે. આજે કોરોના સંક્રમણથી રાજ્યમાં એક પણ દર્દીનું મોત નથી થયું. રાજ્યમાં હાલ 185 એક્ટિવ કેસ છે અને 7 દર્દી વેન્ટિલેટર પર છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.76 ટકા છે. રાજ્યમાં હાલ કોરોના વાયરસના કેસ સ્થિર થયા છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 98.76 પર પહોંચી ચુક્યો છે. તો બીજી તરફ રસીકરણ (Vaccination) ના મોરચે પણ સરકાર ખુબ જ મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે 6,18,515 દર્દીઓનું રસીકરણ થયું છે.

છેલ્લા 24 કલાક દરમિયાન અમદાવાદ શહેરમાંથી સૌથી વધુ 4, રાજકોટ કોર્પોરેશનમાં 4, વડોદરા કોર્પોરેશનમાં 4, અમદાવાદ 3, પોરબંદરમાં 3, સુરત 2, અરવલ્લી 1, ગાંધીનગર કોર્પોરેશન 1, ગીર સોમનાથ 1, જામનગર કોર્પોરેશન 1, સુરત કોર્પોરેશન 1 કેસ નોંધાયા છે. રાજ્યમાંથી વધુ 18 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. અત્યારસુધી કુલ 8,14,903 દર્દીઓ કોરોનાને હરાવી ચૂક્યા છે(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવો