Home News છત્તીસગઢના બસ્તરમાં નક્સલી હુમલો, ITBPના સહાયક કમાંડેટ સહિત બે લોકો શહીદ

છત્તીસગઢના બસ્તરમાં નક્સલી હુમલો, ITBPના સહાયક કમાંડેટ સહિત બે લોકો શહીદ

Face Of Nation, 20-08-2021 :  છત્તીસગઢમાં નક્સલીઓના હુમલામાં ITBPના સહાયક કમાંડેટ સહિત બે લોકો શહિદ થઈ ગયા છે. રાજ્યના નારાયણપુર-બારસૂર રોડ પર નક્સલિઓએ સુરક્ષાદળોની રોડ ઓપનિંગ પાર્ટી પર હુમલો કર્યો આ હુમલામાં જવાન શહિદ થયા છે. મળતી માહિતીમુજબ સહાયક કમાંડેટ સુધાકર શિંદે(નાંદેડ, મહારાષ્ટ્ર) અને 45 બીએન આઈટીબીપના જવાન ગુરમુખ (પંજાબ) શહીદ થઈ ગયા છે.શહીદ જવાન ITBPના ઈ કોય 45 બટાલિયનનાહતા. હુમલા પછી ઘટનાસ્થળ પર સૈન્ય મદદ મોકલાવી દીધી છે. હુમલા પછી સુરક્ષાદળોનું સર્ચ ઓપરેશન શરૂ થઈ ગયું છે.

આઈજી બસ્તર પી સુંદરરાજે જણાવ્યું કે નારાયણપુર જિલ્લામાં ITBP કેંપ કડેમેટા પાસે નક્સલીઓએ હુમલો કર્યો હતો. આ હુમલામાંITBPના બે જવાન શહીદ થયા હતા. નક્સલી પોતાની સાથે એક AK-47 રાઈફલ, બે બુલેટપ્રુફ જેકેટ અને એક વાયરલેસ સેટ લૂટીને ફરાર થયા હતા.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)