Home News રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીના નજીક ગણાતા કોંગ્રેસના દિગ્ગજ નેતા ઓસ્કાર ફર્નાન્ડિઝનું...

રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીના નજીક ગણાતા કોંગ્રેસના દિગ્ગજ નેતા ઓસ્કાર ફર્નાન્ડિઝનું થયું નિધન

Face Of Nation, 13-09-2021: કોંગ્રેસના વરિષ્ઠ નેતા ઓસ્કાર ફર્નાન્ડિઝનું સોમવારે કર્ણાટકની મંગલુરુ હોસ્પિટલમાં નિધન થયું હતું. ચાલુ વર્ષે સાત જુલાઈના રોજ યોગ કરતી વખતે પડી જતાં માથામાં ઈજાના કારણે હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જે બાદ તેમની તબિયત બગડી હતી.

ઓસ્કર ફર્નાન્ડીઝ યુપીએ સરકારમાં સડક અને પરિવર્તન, શ્રમ તથા રોજગાર મંત્રી રહી ચુક્યા છે.હાલ તેઓ રાજ્યસભા સાંસદ હતા. તેમની ગણતરી રાહુલ અને સોનિયા ગાંધીના નજીક તરીકે થતી હતી. તેમના નિધન પર પીએમ મોદીએ શોક વ્યક્ત કર્યો છે. ઓસ્કર ફર્નાન્ડિઝના નિધન પર કોંગ્રેસે ટ્વીટ કરીને લખ્યું, તેમના નિધનથી અમને દુખ થયું છે. તેમના પરિવાર પ્રત્યે અમારી સંવેદના છે. કોંગ્રેસની રાજનીતિમાં તેમનો મોટો પ્રભાવ છે. કોંગ્રેસ પરિવારને તેમના દિશા અને માર્ગદર્શનની ખોટ સાલશે.

PM મોદીએ નિધન પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દુખ વ્યક્ત કર્યુ છે. તેમણે ટ્વીટ કરીને લખ્યું- રાજ્યસભા સાંસદ ઓસ્કર ફર્નાન્ડીઝના નિધનથી દુખી છું. આ દુખના સમયમાં મારી સંવેદના અને પ્રાર્થના તેમના પરિવાર તથા શુભચિંતકોની સાથે છે. તેમની આત્માને શાંતિ આપે.

(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)